એક કૌતૂહલ
રવિને નાનપણથી જ એક આદત હતી – દરેક વસ્તુ પાછળ “શા માટે?” પૂછવાની.
આકાશ નિલું કેમ?
પંખી ઊડે છે પણ માણસ કેમ નહીં?
રાતે તારાઓ ઝબકે છે તો દિવસમાં ક્યાં જાય છે?
ગામના લોકો હસતાં કહેતા,
“આ છોકરો તો પ્રશ્નોની પેટી છે!”
એક દિવસ રવિને ગામના જુના વડ નીચે એક બંધ તાળાવાળું બોક્સ જોયું.
બધા કહેતા, “એ બોક્સ ન ખોલાય, કંઈક અશુભ છે.”
પણ રવિનું કૌતૂહલ શાંત ન થયું.
રાતે ચાંદનીમાં તેણે હિંમત કરી અને બોક્સ ખોલ્યું.
અંદર સોનુ નહીં, રત્ન નહીં…
એક જૂનું પુસ્તક હતું – ‘જ્ઞાનનો દીવો’.
પુસ્તકમાં લખેલું હતું:
“જે પ્રશ્ન પૂછે છે, એ જ આગળ વધે છે.”
એ દિવસ પછી રવિએ સમજ્યું –
કૌતૂહલ ડરવાની વસ્તુ નથી,
એ તો ઉજાસ તરફ લઈ જતું દીવો છે.
અને એ ગામનો સૌથી જિજ્ઞાસુ છોકરો,
આગળ જઈને ગામનો સૌથી સમજદાર માણસ બન્યો
Comments